દોનોતેલો અને ટીકા

ફ્લોરેંસના પ્રખ્યાત શિલ્પી દોનોતેલોની ઍના ગામ સિવાય યુરોપભરમા ખૂબ પ્રશંશા અને પ્રતિષ્ઠા થતી હતી. ઍક વાર તેને પીસા (ઈટાલી)મા શિલ્પો તૈયાર કરવાનો ઍક મોટો પ્રૉજેક્ટ મળ્યો. ઍણે ત્યા પહોંચીને પોતાની પ્રતિભા અને કલાનુ ઍવુ અદભૂત પ્રદર્શન કર્યુ કે યુરોપના ક્લા વિવેચકો અને શિલ્પ આશ્રયદાતાઓ ઍની ગગનચુંબી પ્રશંશાકરવા લાગ્યા. ઍટલુ જ નહી, વરસોવરસ ઍ પ્રશંશામા ઈજાફો થતો ગયો.

દોનોતેલો આનાથી ખુશ થવાને બદલે અકળાવા લાગ્યો. અને ઍક દીવસ ઍણે ઈટાલી છોડીને પોતાને ગામ ફ્લોરેંસ પાછા ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તેનાથી આશ્ચર્ય પામીને ઍક મિત્રઍ કહ્યુ, " અહી તને શું તકલીફ છે? માન-પાન, પૈસો, સમૃદ્ધિ, પ્રસિદ્ધિ અન ચાહકોંની ભરમાર.... બધુ જ તો તને અહી મળી રહ્યુ છે !!"

" ઍટલે જ હું ઈટાલી છોડીને મારા ગામ ફ્લોરેંસ જાઇ રહ્યો છુ !!" દોનોતેલોઍ રહસ્યમય સ્મિત કરતા કહ્યુ: " ત્યા લોકો મારા શિલ્પોની ક્રુર મશ્કરી અન ટીકા કરે છે ને ઍ રીતે મારો જુસ્સો બરકરાર રાખે છે. ઍ લોકો મને કદી આળસુ અને સંતોષી થવા દેતા નથી !!"

-"મારા શબ્દ-સંપુટ માંથી (કાર્તિક શાહ)
દોનોતેલો ફ્લોરેંસમા જન્મેલો ટૅસકૅન શિલ્પી હતો. (૧૩૮૬-૧૪૬૬)

Comments

Popular posts from this blog

પૃથ્વી ગોળ છે અને એના પરિઘની ચોક્કસ માપણી ખરેખર કોણે સાબિત કરી?

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ