જ્યોતીન્દ્ર દવે

જ્યોતીન્દ્ર દવે 
(ગુજરાતી હાસ્ય લેખક, 1901-1980)

સુરતમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના એક અધિવેશનમાં જ્યોતીન્દ્ર દવે અને વિનોદ ભટ્ટનો ભેટો થઇ ગયો.


વાતોડી વિનોદ ભટ્ટએ પહેલ કરી જ્યોતીન્દ્રને પ્રશ્ન કર્યો: ' જ્યોતીન્દ્રભાઈ! મને એક પ્રશ્ન ઘણા સમયથી મૂંઝવી રહ્યો છે. કદાચ તમે એના ઉપર પ્રકાશ પાડી શકશો કે, ભગવાનમાં 'સેન્સ ઓફ હ્યુમર' હશે ખરું?



'કેમ, એમાં તમને શા માટે શંકા છે?' એમણે સામો પ્રશ્ન કર્યો અને તેના પછી તરત જ પોતે જવાબ આપ્યો: ' જુઓને, એણે આ સંસારમાં જાતજાતના ને ભાતભાતના કરોડો માનવી પેદા કર્યા છે ને હજીયે પેદા કર્યે જ જાય છે, એની આ પ્રવુત્તિ એ એની હાસ્યવૃત્તિ નહિ તો બીજું શું સૂચવે છે?!!'

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન