થોમસ મુર

થોમસ મુર 
(આઈરીશ કવિ, 1779-1852)

આઈરીશ કવિ  થોમસ મુરનું પ્રારંભિક જીવન ઘણીજ ગરીબીમાં પસાર થયું હતું. તેઓ સાહિત્ય જગતમાં પ્રસિદ્ધિના શિખરે પહોંચી ગયા ત્યારે લંડનમાં એક ક્લબે તેમને સભ્યપદ સ્વીકારવા માટે આમંત્રિત કર્યા.

ઉમરાવોની એ ક્લબમાં એક સામાન્ય કુટુંબની વ્યક્તિને અપાઈ રહેલું સન્માન, એમની કારોબારીના એક સભ્યને પસંદ પડ્યું નહિ. તેમણે એ પ્રત્યે પોતાનો અણગમો વ્યક્ત કરતા થોમસ મુરને કહ્યું: ' મિ. મુર!  શું એ વાત સાચી છે કે તમારા પિતા એક ગામડાના મોદી હતા??'
'બેશક!' મુરે જવાબ આપ્યો અને ઉમેર્યું, ' તેઓ ભારે પ્રમાણિક હતા.'

'તમે એમના પગલે કેમ ના ચાલ્યા??' ઉમરાવે કટાક્ષ કર્યો।
' કારણકે મારામાં એમના જેટલી બુદ્ધિ નહોતી.' મુરે નમ્રતાપુર્વક  ઉત્તર આપ્યો અને ઉમરાવને સામો પ્રશ્ન કર્યો: 'મેં સાંભળ્યું છે કે, તમારા પિતાશ્રી અતિશય સજ્જન હતા!! તો પછી તમે એમના પગલે કેમ ન ચાલ્યા??!!'

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન