દાન્તે

દાન્તે એલીઘીયેરી 
ઇટાલિયન મહાકવિ (1265-1321)

વિશ્વપ્રસિદ્ધ  ઇટાલિયન મહાકાવ્ય " ડિવાઈન કોમેડી " ના સર્જક દાન્તે પોતાના ગામના એક દેવળમાં પ્રાર્થના કરી રહ્યા હતા, અને તેઓ એટલા ધ્યાનમગ્ન થઇ ગયા કે, પ્રાર્થના પૂરી થયા પછી ઈશ્વરનું નમન કરવાનું ભૂલી ગયા.

એ જોઇને એમના એક શત્રુએ બિશપ પાસે પહોંચીને દાન્તેની આ ધ્રુષ્ટતા અંગે ફરિયાદ કરી, આથી, બિશપે દાન્તેને બોલાવીને ખુલાસો કરવા કહ્યું.

દાન્તે એ પોતાની ભૂલ કબુલ કરી, અને એ માટે માફી માંગી. જયારે બિશપ થોડા શાંત થયા, ત્યારે તેમણે નમ્રતાપૂર્વક બિશપને કહ્યું: ' ફાધર ! જેઓ મને ઈશ્વરનું નમન ન કરવા માટે ગુનેગાર ગણે છે એમનું ધ્યાન જો ઈશ્વર પ્રાર્થના અને નમનમાં પરોવાયું હોત, તો શું તેઓ મારી ભૂલ જોઈ શકત ? '

એ સાંભળીને બિશપ હસી પડ્યા.

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન