ગુણ-એક અવસ્થા

સદગુણોની સાચવણી દુર્ગુણોથી બચાવે

એક માણસ શાંતિની શોધ માટે ભટકી રહ્યો હતો. એકવાર જંગલમાંથી પસાર થતી વખતે રસ્તામાં આ માણસને ચાર સ્ત્રીઓ મળી. માણસે આ ચારે સ્ત્રીઓને એમનો પરિચય આપવા વિનંતી કરી.

પહેલી સ્ત્રીએ કહ્યુ , ” હું બુધ્ધિ છું અને માણસના મગજમાં રહુ છું.” બીજી સ્ત્રીએ કહ્યુ , ” હું લજ્જા છું અને માણસની આંખમાં રહું છું.” ત્રીજી સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યુ, ” હું હિંમત છું અને માણસના હદયમાં રહું છું.” અને છેલ્લે ચોથી સ્ત્રીએ કહ્યુ, ” ભાઇ હું તંદુરસ્તી છું અને હું માણસના પેટમાં રહું છું.”

આ ચાર સ્ત્રીઓના પરિચય પછી માણસ વિચારવા લાગ્યો કે જો મારી પાસે બુધ્ધિ , લજ્જા , હિંમત અને તંદુરસ્તી હોય તો મને શાંતિ મળવી જોઇએ પણ મને શાંતિ મળતી કેમ નથી ? હજું તો વધુ આગળ જાય એ પહેલા જ માણસને રસ્તામાં ચાર પુરુષો પણ સામા મળ્યા. માણસે આ ચારે પુરુષોને એમનો પરિચય આપવા કહ્યુ.

પહેલા પુરુષે કહ્યુ , ” હું ક્રોધ છું અને માણસના મગજમાં રહુ છું “. બીજા પુરુષે કહ્યુ , ” હું લોભ છું અને માણસની આંખમાં રહું છું.” ત્રીજા પુરુષે કહ્યુ, ” હું ભય છું અને માણસના હદયમાં રહું છું.” અને છેલ્લે ચોથા પુરુષે પોતાની ઓળખાણ આપતા કહ્યુ , ” મિત્ર , હું રોગ છું અને હું માણસના પેટમાં રહું છું.”

માણસે આશ્વર્ય સાથે કહ્યુ, ” તમે બધા જ ખોટુ બોલો છો કારણકે તમે રહેવા માટેના જે ઠેકાણા બતાવ્યા ત્યાં તો બધી સ્ત્રીઓ રહે છે.” પહેલા પુરુષ એટલે કે ક્રોધે માણસને કહ્યુ, ” ભાઇ તારી વાત સાચી છે. પણ અમે જ્યારે આવીએ ત્યારે સ્ત્રીઓ તે ઠેકાણું ખાલી કરીને જતી રહે છે. મગજમાં બુધ્ધિ જ રહે છે પણ હું આવુ એટલે બુધ્ધિ જતી રહે એવી જ રીતે મારા આ ત્રણ મિત્રોના આગમન સાથે જ લજ્જા , હિંમત અને તંદુરસ્તી જતા રહે છે. ”

મિત્રો, સદગુણો તો આપણામાં જન્મજાત જ છે એને કેળવવા કે લાવવાની જરુર જ નથી. પણ જ્યારે દુર્ગુણો આવે છે ત્યારે સદગુણો વિદાય લઇ લે છે અને દુર્ગુણો પોતાના કબજો જમાવી  બેસે છે માટે દુર્ગુણોને આવતા  જ અટકાવવા તો સદગુણો જતા બચી જશે. ...

સંકલિત...કાર્તિક શાહ

Comments

Popular posts from this blog

પૃથ્વી ગોળ છે અને એના પરિઘની ચોક્કસ માપણી ખરેખર કોણે સાબિત કરી?

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

આ કવિતા એટલે શું?