લતા મંગેશકર અને પંચમદા....
લતા મંગેશંકરને બધાંની જેમ આર.ડી.બર્મન પણ ‘દીદી’ના નામે સંબોધતા. લતાજી કહે છે કે પંચમે મારી પાસે ‘રૈના બીતી જાયે’ અને ‘નામ ગુમ જાયેગા’ જેવાં કલાસિકલ ગીતો એકબાજુ ગવડાવ્યાં તો બીજી તરફ ‘બાહોં મેં ચલે આ ઓ’ જેવું ચુલબુલું ગીત પણ ગવડાવ્યું. આ ગીત માટે એમણે મને ભારપૂર્વક સમજાવ્યું હતું કે મારે આ લો-પિચના સોફટ ટોન્સમાં ગાવાનું છે જેથી ગીતનો રોમેન્ટિક મૂડ ઊભરીને આવે. આ ગીતમાં ‘આ…ઓ’ શબ્દને સ્ટ્રેચ કરીને ગાવો એ પણ પંચમનું જ સૂચન હતું. આવું જ એક ગીત હતું. ‘દિલબર દિલ સે પ્યારે’ જેમાં પંચમે ‘નૈનોં-વાલે’ શબ્દને પાંચ અલગઅલગ રીતે ગાવાનું કહ્યું હતું. પંચમે લતાજી પાસે ગવડાવેલાં ગીતોમાંથી લતાજીને ‘ઐસા સમા ના હોતા’ અને ‘તેરે લિએ પલકોં કી ઝાલર બૂનું’ બહુ ગમે છે. લતાજી કહે છે કે આ ગીતો જેમાં હતાં એ ફિલ્મો બોક્સ ઓફિસ પર બહુ ના ચાલી પણ એનાં ગીતો મારાં ફેવરિટ છે. આશા ભોંસલે સાથે લગ્ન કરતી વખતે પંચમે લતાજીને કહ્યું હતું કે મને લગ્નપ્રસંગે કોઈ ભેટ નહીં આપતાં પણ એક પત્ર લખજો-જિંદગીમાં મારે શું કરવું, શું ન કરવું અને કેવી રીતે પ્રસન્ન દાંપત્યભર્યું જીવન જીવવું. લતાજીએ આવો પત્ર લખીને આર.ડી.બર્...